પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળો યોજાયો
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળો યોજાયો
રોજગાર કચેરીના કાઉન્સેલરશ્રીઓએ રોજગાર વાંચ્છુઓને આપ્યું કારકિર્દી માર્ગદર્શન
પોરબંદર, તા. ૨૧, પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ તાજેતરમાં નવયુગ હાઈસ્કુલ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના ૨૬૬૮થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યુ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી કુલ ૫૪ ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા અમરસાગર સી ફુડ્સ, સિદ્દિક સી ફુડ્સ, હિંદુસ્તાન મરિન પ્રોડક્ટ્સ, શુક્લા એન્ટરપ્રાઈઝ, શ્રી સોનલ ફાયર એન્ડ સેફ્ટી, બ્લેક એઈટી તથા ઓમકાર મેનપાવર સોલ્યુસંસ પ્રા.લી, અમદાવાદ, ઉર્જાસ્ત્રોત પ્રા.લી, આણંદના નોકરીદાતા પ્રતિનિધિ હાજર રહ્યા હતા. તેઓએ તેમના એકમ, સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી, ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાજર રહેલ ૫૪ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૪૦ રોજગાર વાંચ્છુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરશ્રીઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ ભરતીમેળામાં બહોળી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો.
Comments
Post a Comment