પોરબંદરમાં યોજાયો શિક્ષક દિન : જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા
પોરબંદરમાં યોજાયો શિક્ષક દિન : જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા
૦૦૦
મહાનુભાવોના હસ્તે ૪ શ્રેષ્ટ શિક્ષકો અને ૧૬ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ
૦૦૦
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપીને બિરદાવવામાં આવ્યા
૦૦૦
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
પોરબંદર, તા. ૦૫,
પોરબંદર શહેરમાં આવેલ બિરલા હોલ ખાતે પોરબંદર જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરબતભાઈ પરમારે સમાજમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન હોવાનું જણાવ્યું હતું. બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું યોગ્ય સિંચન થાય તે આજની પરિસ્થિતિની સૌથી મોટી માંગ છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો શુભેચ્છા સંદેશ વંચાવી સંભળાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા એ જણાવ્યું હતું કે શિક્ષક બાળકોના જીવનનું ઘડતર કરે છે અને એક નવા ભારતના નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે.
ઉપરાંત તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા સંગીતાબેન કરસનભાઈ મોઢવાડિયા એ પણ તેમનું સન્માન થયું તે બદલ પ્રતિભાવ આપ્યો હતો.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમારએ કર્યું હતું જ્યારે આભારવિધિ સંદીપભાઈ સોનીએ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રિધ્ધીબેન ખૂટી, અગ્રણી અરશીભાઈ ખુટી સહિત શિક્ષણ સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment